Monday, August 26, 2024

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ અપેક્ષા કરતાં નબળો રહ્યો. એકાદ ગોલ્ડ મેડલ સહિત કુલ દસેક ચંદ્રકો જીતવાની આશા હતી એને બદલે પાંચ કાંસ્ય ચંદ્રકો અને એક રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.

હૉકી ટીમે સતત બીજી વખત કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો, પણ હૉકી અને બૉક્સિંગ બંનેમાં નિર્ણાયકો, રેફરીઓના ઘણા વિવાદાસ્પદ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા હોવા બાબતે ભારતના ઘણા સમર્થકોએ X (જૂનું ટ્વિટર) માધ્યમ પર આક્રોશ વ્યક્ત કર્યો. બૉક્સિંગમાં ખાસ કરીને નિશાંત દેવ ક્વાર્ટર ફાઇનલમાં સ્પષ્ટ વિજેતા હોવા છતાં એને પરાજિત જાહેર કરવામાં આવ્યો. હૉકીમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહિદાસને એના કોઈ વાંક વગર રેડ કાર્ડ બતાવવામાં આવતાં એણે જર્મની સામેની મહત્ત્વની સેમી-ફાઇનલમાં બહાર બેસી રહેવું પડ્યું અને ભારતીય હૉકી ટીમનો લય તૂટ્યો. એ ઉપરાંત પણ પેનલ્ટી કૉર્નર બાબતના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા અને ભારત માટે નડતરરૂપ બન્યા.

જેવેલિન થ્રોમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે ૯૦ મીટરથી ઉપરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા. નીરજ ચોપડા ૯૦ મીટરના અંતરને આંબી શક્યા નહિ અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. આ ઉપરાંત ઑલિમ્પિક્સ પૂરી થયા પછી જર્મનીમાં લુસાને ખાતે યોજાયેલી ડાયમંંડ લીગમાં પણ નીરજ ચોપરાનો બીજો નંબર આવ્યો. એ લીગમાં અર્શદ નદીમ ગેરહાજર હતા, પણ ઑલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે ૯૦ મીટર ઉપરનો થ્રો કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો. ખભાની કોઈ ઈજા માટે નીરજે ઑપરેશન કરાવવાનું છે અને આવતી ઑલિમ્પિક્સમાં ૯૦ મીટર ઉપરનો થ્રો નહિ કરી શકે તો સુવર્ણચંદ્રક ભૂલી જવો પડશે. 

શૂટિંગમાં ત્રણ મેડલ મળવાની સાથે આ રમતમાં મેડલની બાબતે ભારતનો બાર વર્ષનો દુકાળ સમાપ્ત થયો. મનુ ભાકરે બે કાંસ્ય ચંદ્રક જીતીને એક જ ઑલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ  જીતનાર પ્રથમ ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું. પરંતુ એ જ મનુ ભાકરે ભારત આવીને કહ્યું કે રમતગમતમાં ભારતના યુવાઓનું કોઈ ભવિષ્ય નથી. આમાં કારકીર્દિ બનાવવાને બદલે બીજું કંઈક કામ કરો. મનુ ભાકરનું નિવેદન હજી ૨૦૨૪માં પણ રમતગમત ક્ષેત્રે ભારતમાં પ્રવર્તતી નિરાશાજનક સ્થિતિનો ઍક્સ-રે આપે છે. ટેબલ ટેનિસમાં ટીમ ઇવન્ટમાં છેક ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ સર્જનાર ભારતીય ટેબલ ટેનિસ ટીમની એક સભ્ય નિશા કામથે ટેબલ ટેનિસમાં પોતાનું અનિશ્ચિત ભાવિ પારખીને રમતને અલવિદા કહી દીધી છે અને હવે એ અમેરિકા જઈને ભણતર પર ધ્યાન આપશે.

મીડિયાએ મનુ ભાકર અને નીરજ ચોપરા વચ્ચેના કથિત અફેરની વાતો ચગાવવા માંડી. આ ખેલાડીઓને એવું પૂછવાનું હોય કે હવે આવતી ઑલિમ્પિક્સ માટે શું યોજના છે, રમતમાં વધુ સુધારાઓ કઈ રીતે કરશો એના બદલે એમનાં અંગત જીવનમાં ડોકિયું કરવાની ચેષ્ટા ઘૃણાસ્પદ લાગે છે. આ બાબતે આચાર્ય પ્રશાંતનો એક યૂટ્યૂબ વિડીયો જોવા જેવો છે. જેમાં તેઓ કહે છે કે ભારતનું વાતાવરણ જ એવું છે કે ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને ભારત પરત આવેલા ખેલાડીનો ઉત્સાહ ઓછો કરી નાખે છે અને પછી એ જ ખેલાડી બીજી ઑલિમ્પિક્સમાં પોતાના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકતો નથી. ખેલાડીઓની પ્રતિષ્ઠાને વટાવવા માંગતા રાજકીય પક્ષો, પોતાની પ્રોડક્ટ્સની  જાહેરાત કરાવવા માંગતી કંપનીઓ, ગ્લેમરની દુનિયાના લોકો સાથેની ઊઠબેસ.... આ બધું મેડલ જીતનાર ખેલાડીને એવી રીતે ભરડો લઈ લે છે કે પછી પોતાની રમતથી એનું ધ્યાન ધીરે ધીરે ભટકવા લાગે છે.

કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં બહુ ગંદું રાજકારણ રમાયું. જાપાનની અપરાજેય પ્રથમ ક્રમાંકિત કુસ્તીબાજને હરાવીને એ ફાઇનલમાં પહોંચી હતી અને ફાઇનલમાં એણે જેની સામે રમવાનું હતું એ કુસ્તીબાજને અગાઉ બે વખત હરાવી ચૂકી હતી. એ જોતાં વિનેશનો ગોલ્ડ મેડલ નિશ્ચિત મનાતો હતો. પણ શરીરનું વજન ૧૦૦ ગ્રામ વધારે આવતાં એ ગેરલાયક સાબિત થઈ. આ ૧૦૦ ગ્રામ વજન બાબતે મણ-મણની ચર્ચાઓ થઈ અને વિનેશની તરફેણ અને વિરોધમાં લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા. ખુદ વિનેશની પિતરાઈ બહેનો ગીતા અને બબીતા ફોગાટે ઇન્સ્ટાગ્રામ પર આડકતરી રીતે જે લખ્યું એ વિનેશના વિરોધમાં હતું. વિનેશના ઈરાદાઓ સારા હતા કે નહિ એ ભગવાન જાણે, પણ આ બધામાં ભારતનો એક ગોલ્ડ મેડલ છિનવાઈ ગયો. પુરુષોની કુશ્તીમાં અમન સેહરાવતના એક કાંસ્ય ચંદ્રકથી ભારતે સંતોષ માનવો પડ્યો.

છાશવારે ભારતમાં અલગ-અલગ રમતોનાં ઍસોસિએશનોના વહીવટમાં કંઈ ને કંઈ વિવાદો બહાર આવ્યા જ કરે છે અને છેવટે આખું ઍસોસિએશન વિખેરી નાંખવું પડે એવી નોબત ઊભી થાય છે. હૉકીમાં ઇન્ડિયન હૉકી ફૅડરેશનને વિખેરી નાખવું પડ્યું અને હૉકી ઇન્ડિયા નામની નવી સંસ્થા ઊભી કરાઈ. રૅસલિંગમાં રૅસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાને બદલે ઍડ હૉક સમિતિએ કુશ્તીનો બધો કારભાર સંભાળ્યો. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઍનસીપીના પ્રફુલ્લ પટેલે ભારતીય ફૂટબૉલનું નખ્ખોદ વાળ્યું. આ બધામાં છેવટે તો પ્રતિભાશાળી ખેલાડીઓને જ ભોગવવાનું આવે છે અને ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાની રહીસહી આશાઓ પર પાણી ફરી વળે છે.


બ્લૉગનું નામ બદલીને 'उधार की ज़िंदगी' કેમ કર્યું?

એક દિવસ વિચાર કરતાં જણાયું કે આપણે જેને આપણા મૌલિક વિચારો માનીએ છીએ, એમાં મૌલિકતા જેવું ભાગ્યે જ કશું હોય છે. અન્ય વ્યક્તિ, સમાજ, વિશ્વ સાથે સંપર્કમાં આવીને આપણે જાતજાતના પ્રભાવો ઝીલતા હોઈએ છીએ અને આપણી અભિવ્યક્તિ પર આની પ્રબળ અસર પડતી હોય છે. 

સાલિમ સલીમના એક ઉર્દૂ શેરની જેમ "अपने जैसी कोई तस्वीर बनानी थी मुझे/ मेरे अंदर से सभी रंग तुम्हारे निकले" એ પ્રકારની સ્થિતિ મોટાભાગના લોકોની હોય છે. ગઝલવિશ્વના છેલ્લા અંકમાં રાજેશ વ્યાસ મિસ્કીને મારી એક ગઝલ છાપી હતી એ ગઝલના કાફિયા અમૃત ઘાયલની એક ગઝલમાંથી લીધા હતા, માત્ર એ કાફિયા ફરતે જે વિચારો વ્યક્ત કર્યા એમાં થોડી નવીનતા હતી. વાતો બધી એકની એક જૂની-પુરાણી હોય છે, માત્ર એ રજૂ કરવાનો ઢંગ બદલાયા કરતો હોય છે અને આપણે કશુંક મૌલિક રજૂ કર્યાનું ગુમાન લઈને પોરસાયા કરીએ છીએ.

આ તો થઈ વિચારોની અભિવ્યક્તિ બાબતે ઉધારની વાત. હવે નાણાકીય દૃષ્ટિએ ઉધારની વાત કરું તો આ વર્ષે આવકની દૃષ્ટિએ ટ્રાન્સલેશનના મુખ્ય વ્યવસાય કરતાં વધારે કમાણી કરી આપનાર શેરબજારમાં રોકાણ કરવા માટે પણ બેન્કો પાસેથી જરૂર પડે ત્યારે ઉધાર રકમ લેતો રહું છું. 

આમ, વૈચારિક અને નાણાકીય બન્ને રીતે ઘણા બધાનું મારા પર ઋણ ચડેલું છે. મરીઝના એક શેરની પંક્તિ યાદ આવે કે "ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!"

છેલ્લે, ધ્વનિલ પારેખના એક શેર સાથે વાત પૂરી કરું:

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે

Thursday, August 22, 2024

खूबसूरती पर एक कविता



खूबसूरती के अंदर मुझे आप यह बताओ कि आपकी पर्सनली क्या कमाई है, खूबसूरती हासिल करने में ?

पंक्तियां थीं कि

खूबसूरती जो कमाई नहीं ताप की
अनायास मिलती है शक्ल मां बाप की

खूबसूरती जो कमाई नहीं ताप की
अनायास मिलती है शक्ल मां बाप की

खुद निखरने लगती है, खुद ही ढल जाती है
मेहनत तो इसमें न ढेली भर है आपकी!

फिर भी अकड़ आसमान अड़ जाती है
सुंदरी इतर बावली हो मंडराती है

चमड़ी के निखार का भी घमंड उसे
जो धूप लगते मात्र ही में सड़ जाती है

और वास्तविक खूबसूरती तो स्वभाव है
बौद्धिक लोगों का इसी बात पे झुकाव है

और आप जिसे खूबसूरती बताते हैं
कुछ नहीं वो आपका हार्मोनल चढ़ाव है!

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)


Speaker 1 : जोगी जी! 

Speaker 2: हाँ भाई। 

Speaker 1: लोग बहुत बोलते हैं कि मां बाप भगवान का रूप होते हैं और जो माँ का प्रेम होता है वो नि:स्वार्थ प्रेम होता है और आप तो पर नि:स्वार्थ प्रेम की कुछ अलग ही परिभाषा देते हैं कि आप बोलते हैं कि जो स्वयं को जानता है वही नि:स्वार्थ प्रेम होता है। 



Speaker 2: मैं आपको एक कहानी सुनाता हूँ। एक बार हॉस्पिटल में क्या होता है? एक महिला होती है उसको बच्चे का जन्म होता है तो वो अपने बच्चे को उठा कर के छाती से लगाकर एकदम रो रही होती है बिल्कुल प्रेम में एकदम आंसू बहा रही होती है। इतने में डॉक्टर अंदर आता है। डॉक्टर बोलता है आपका बच्चा वो नहीं, वो दूसरा वाला है। आपने गलत बच्चा उठा लिया। वो माँ फटाक से उस बच्चे को छोड़ती है और वो दूसरे वाले को जाकर उठा लेती है। तो ये क्या हुआ?  नि:स्वार्थ प्रेम था ना उसका तो। उसमें स्वार्थ था ही नहीं तो ऐसा क्यों किया? और यह पता है ना आपको कि एक माँ है उसके पास में बच्चा है जिसको वो गले से लगाकर घूम रही है। वो देख रही है कि उसमें बरसात में, ठंड में, गर्मी में, दूसरा बच्चा एक छोटा सा वो भूखा वहाँ पे पड़ा हुआ है। तो इग्नोर करके अपनी कार में बैठ के घुसके निकल जाती है। क्या हुआ नि:स्वार्थ प्रेम का? क्योंकि मेरे का भाव है ना कि ये मेरा है। आगे चल के मेरा सहारा बनेगा तो यह स्वार्थी प्रेम है ना? नि:स्वार्थ कहां से हो गया? नि:स्वार्थ प्रेम तो स्वयं को जान कर ही किया जा सकता है और ये जो माँ बाप भगवान होते हैं कॉन्सेप्ट की वजह से इतने मा-बाप बन रहे हैं लोग और इतने बच्चे पैदा हो रहे हैं। पृथ्वी की ऐसी की तैसी कर दी है। पूरा नेचर खा गये, क्योंकि कुछ नहीं बन सकते तो चलो भगवान ही बन जाये!

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

 હાલમાં કોલકતાની એક હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાના હિચકારા કૃત્યની દેશ આખામાં ચર્ચા છે ત્યારે આ આખા મામલા અંગે મહાભારત ટીવી શ્રેણીમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે દ્રૌપદીના વસ્ત્રાહરણ અંગે સંવાદનો એક વિડીયો મળ્યો એ વિડીયો અહીં મૂક્યો છે અને હિન્દીમાં એનું લિપ્યંતરણ (transcription) રજૂ કર્યું છે. 



अर्जुन: तो क्या द्रौपदी वस्त्रहरण पर मुझे क्रोध नहीं आना चाहिए था, केशव?

कृष्ण: यह निर्णय तो स्वयं तुम्हें लेना है, पार्थ! किंतु द्रौपदी वस्त्रहरण केवल तुम्हारी व्यक्तिगत समस्या नहीं है, पार्थ! जो समाज इंद्रप्रस्थ की पटरानी महाराज द्रुपद की पुत्री और पांडवों की पत्नी द्रौपदी के वस्त्रहरण पर चुप रह गया वो समाज भला किसी साधारण नारी के मान सम्मान की क्या रक्षा करेगा? द्रौपदी वस्त्रहरण एक सामाजिक समस्या है, पार्थ! एक सामाजिक समस्या है और यह तुम्हारा कर्तव्य है कि तुम उन शक्तियों को नष्ट करने के लिए युद्ध करो, जो किसी द्रौपदी का वस्त्रहरण कर सकती हैं। ये शक्तियां समाज की शत्रु हैं, पार्थ! और जो महापुरुष इस युद्ध में उन शक्तियों के पक्ष में हैं, उनसे युद्ध करने में भी संकोच न करो। अपने व्यक्तिगत क्रोध और व्यक्तिगत मोह के बंधनों से मुक्त होकर लोक कल्याण के लिए युद्ध करो, पार्थ! यही तुम्हारा परम कर्तव्य है।