Friday, June 24, 2022

વલ્લભ વિદ્યાનગરમાં મરીઝ વિશે સૌમ્ય જોશીનું એક પ્રવચન

23 જૂન 2022ના રોજ સાંજે સાત વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં કરિયર ડૅવલપમેન્ટ સેન્ટર (CDC) ખાતે ખ્યાતનામ ગુજરાતી ગઝલકાર મરીઝ વિશે સૌમ્ય જોશીનું પ્રવચન યોજાઈ ગયું.

પદ્યપરબ વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે ચાલતી અખ્ખરની પરકમ્માના છઠ્ઠા પડાવ પર જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ "તારા 'મરીઝ', કેવા અજબ રંગઢંગ છે" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ શાયર મરીઝના જીવન-કવનને જાણવા-માણવાનો વિશિષ્ટ ઉપક્રમ હતું.


આ પ્રવચનની વિડીયો લિંક ફેસબૂક પર મુકાઈ છે એટલે લગભગ એકાદ કલાકનું આખું પ્રવચન અને એ પછી થયેલ પ્રશ્નોત્તરીનું રેકૉર્ડિંગ જોઈ શકાશે, પણ પ્રવચનમાં સૌમ્ય જોશીએ મરીઝ વિશે કહેલો એક કિસ્સો વિશેષ સ્પર્શી ગયો. એક વખત મરીઝનો કોઈ ઉમદા શેર સાંભળીને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય એટલા બધા ખુશ થઈ ગયા અને કહ્યું કે, "મરીઝ, તમારા આ શેર પર તો મારું આગળનું જે જીવન છે એ તમને લાગી જાય એવી દુઆ કરું!"

મરીઝે પોતાની રમૂજશક્તિનો પરચો આપતાં કહ્યું, "પણ તમારું આગળનું જીવન કષ્ટદાયક હોય તો?" 😃

ખેર, આખું પ્રવચન આ લિંક પરથી સાંભળી શકાશે:



No comments:

Post a Comment