Thursday, July 21, 2022

गुस्से की मूल वजह क्या है? (आचार्य प्रशांत)

पूछा है क्रोध पर कैसे काबू करें? गुस्सा बहुत आता है। गुस्सा इच्छा के न पूरे होने पर आता है। और कोई कारण होता नहीं। आपने कुछ चाहा, आपको मिला नहीं। आप उबल पड़े। जीवन इच्छाओं से जितना संचालित होगा, उतनी संभावना होगी न कि इच्छा पूरी नहीं हो रही है। पचास इच्छाएँ करोगे तो पक्की बात है कि उसमें से तीस तो नहीं ही पूरी होगी। और तीस नहीं पूरी होगी तो फिर कितनी बार गुस्सा आया? तीस बार!

गुस्सा तो सिर्फ उस क्षण में आया जब ये प्रकट हो गया कि इच्छा नहीं पूरी हो रही है। और इच्छा पाली कब कब थी? बड़े लंबे समय से। पाल रहे थे इच्छा को, पाल रहे थे, पाल रहे थे... दिनभर इच्छा को पोषण और प्रोत्साहन दिया। और जब इच्छा को प्रोत्साहन दे रहे थे, तब बड़ा अच्छा अच्छा लगता था, क्योंकि इच्छा वादा होती है कि सुख मिलेगा। जब तुम इच्छा को पनपा रहे थे, और फैला रहे थे तब तो ऐसा लगता था, जैसे जन्नत। और लगता जैसे जन्नत तो और इच्छाएँ बुलाई। आ जाओ, तुम भी आओ, तुम भी आओ। और उसके बाद फिर क्या होना शुरु हुआ? नतीजे आने शुरु हुए।

पहली इच्छा? रद्द, खारिज। लगे उछलने, दीवार को मार रहे हैं, अपना सर फोड़ रहे हैं, जो भी करते हैं। दूसरी इच्छा? खारिज। तीसरी इच्छा? अर्ध पूर्ण। चौथी? अब आप सोच रहे हों ये भी जाएगी, होगी नहीं पूरी। चौथी पूरी हो गई संयोगवश। अब पूरी होते ही आपका क्या हुआ? दो बातें हैं: पहला - ये पूरी हो सकती है तो और भी बहुत सारी पूरी हो सकती हैं। बुलाओ रे सबको बुलाओ। दूसरा: ये पूरी होकर भी पूरी नहीं हुई, अभी भी कुछ बच सा गया है। तो बुलाओ रे और बुलाओ। क्योंकि ये इच्छा भी पूरी होकर वो तो दे नहीं पाई न जो इससे चाहिए था। पूर्ण तृप्ति तो मिली नहीं तो और इच्छाएँ बुलाओ। तो तीन इच्छाएँ जो पूरी नहीं हुई तो क्रोध आया। चौथी जो पूरी हो गई उससे और इच्छाएँ आईं। अब वो जो और इच्छाएँ आईं हैं वो पूरी होंगी नहीं तो और क्रोध को जन्म देंगी।

इच्छा पूरी न हो तो क्रोध को जन्म देती है और इच्छा पूरी हो जाए तो और इच्छाओं को जन्म देती है। इधर कुआँ, उधर खाई। अब गए फँस। बताओ तुम्हारी इच्छाएँ पूरी हों के न हों? पूरी हुई तो भी फँसे, नहीं पूरी हुई तो भी फँसे। तो समाधान फिर एक है, क्या? देख लो कि इच्छा का अर्थ क्या है? दबाओ नहीं इच्छा, समझ लो। उसकी पोल खोल दो। उसकी हकीकत ज़ाहिर कर दो कि ये बात है। ये जो इच्छाएँ हैं ये ऐसे आ रही हैं, ये है खेल सारा। अब उससे मिलेगी आज़ादी। 

क्रोध लक्षण है। क्रोध तुम्हे बताता है कि तुम इच्छाओं के गुलाम हो। क्रोध तुम्हे बताता है कि विवेक नहीं है तुम में। तुम किसी भी चीज़ को अपनी चाहत बना लेते हो। जो चीज़ चाहने लायक नहीं है, उसको चाहत बना दिया और उबलते-उबलते घूम रहे हो तो तुम ही बेवकूफ हो। एक है उबलेला, एक है जलेला। दोनों में काम एक ही हुआ है। गये थे आग पर बैठ गये। एक उबले, एक जले। कोई roast घूम रहा है, कोई fried घूम रहा है। नीचे से आँच आ रही होती है, उपर ढकना लगा है। मतलब समझ रहे हों न? स्थिति अपने आपको ऐसी दी है कि कामनाओं को उत्तेजना मिलती जा रही है और उनकी पूर्ति का साधन नहीं है। उपर से ढकना लगा हुआ है। फिर जब विस्फोट होता है तो यकायक होता है। पूरा फटते हैं। दबाये, दबाये है तो फिर...


प्रश्न: घर पर किसी एक गुस्सा करने वाले से पूरे घर के लिए नर्क बन जाता है। 

उत्तर: क्योंकि उनकी इच्छा ये थी कि ऐसे के साथ रहें। जो नर्क का ही दूत हो, एजेंट हो, उसके साथ रह रहे हो और उसमें सुधार भी नहीं ला रहे तो इसका अर्थ यह है कि तुम खुद  भी नर्क को चुन रहे हो। ऐसे के साथ अगर हो तो तुम्हारा धर्म है कि लग करके उसकी शुद्धि का यत्न करो। उसकी अगर सफाई नहीं होगी तो तुम्हारी गंदगी हो जाएगी। घर में एक बीमार है, उसे संक्रामक बीमारी है, या तो उसको ठीक कर दो या बाकी सबको बीमार होने दो। ऐसा नहीं हो सकता कि एक बीमार है और उसके विषाणु दूसरों को न लगें। ये सब कहके मत पिंड छुड़ा लिया करो कि ये उसका अपना व्यक्तिगत मसला है। वो तो हैं ही ऐसे। साहब ज़रा गुस्सैल हैं। साहब ज़रा गुस्सैल नहीं हैं, पूरा घर नर्क है। और ये बात हम बड़े सम्मान के साथ कहते हैं कि देखिए उनका तो स्वभाव ही ज़रा तेज़ है। 

प्रश्न: फिर उन्हें रास्ते पर कैसे लेकर आएँ?

उत्तर: उनसे कहिए कि तुम ठीक रास्ते पर नहीं आते तो हम ठीक रास्ते पर चलेंगे। उन्हें कैसे पता चलेगा कि उनका रास्ता ठीक नहीं है जब जो भी उनका रास्ता है आप उनके पीछे पीछे ही चले जा रहे हों। पहले आप दिखाओ कि ठीक रास्ते के प्रति आपकी निष्ठा है। और ऐसा नहीं होता है कि घर में एक व्यक्ति के मन की स्थिति बाकियों के मन की स्थिति से बिलकुल भिन्न हो। अगर एक आदमी ऐसा है कि जो क्रोध और कामना में बिलकुल लिपटा हुआ है तो घर का माहौल ही ऐसा होगा कि जिसमें क्रोध और कामना खूब हैं। वो पूरा माहौल ही बदलना पड़ेगा। उस माहौल से किसी एक पर ज़्यादा असर पड़ गया है, किसी एक पर कम असर हुआ है, लेकिन माहौल है तो ऐसा ही सबके लिए। वो पूरा माहौल ही बदल डालिए। 

हो सकता है ऐसा कि टीवी चलता हो, एक आदमी बिलकुल लगातार देखता हो पकड़ करके और बाकी उतना लगातार न देखते हों, पर टीवी चलता है तो आवाज़ तो पूरी घर में पहुँचती है न? या ऐसा है कि बाकी लोग अप्रभावित रह जाएँगे? माँ-बाप लड़ते हों तो ठीक है, लड़ने वाले जन दो ही हैं, पर असर बाकी के पाँच-सात जनों पर पड़ेगा कि नहीं? चाचा-चाची, दादा-दादी, बच्चे, जो भी हैं घर में। पूरा माहौल ही बदलना पड़ेगा।          

Friday, June 24, 2022

વલ્લભ વિદ્યાનગરમાં મરીઝ વિશે સૌમ્ય જોશીનું એક પ્રવચન

23 જૂન 2022ના રોજ સાંજે સાત વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં કરિયર ડૅવલપમેન્ટ સેન્ટર (CDC) ખાતે ખ્યાતનામ ગુજરાતી ગઝલકાર મરીઝ વિશે સૌમ્ય જોશીનું પ્રવચન યોજાઈ ગયું.

પદ્યપરબ વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે ચાલતી અખ્ખરની પરકમ્માના છઠ્ઠા પડાવ પર જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ "તારા 'મરીઝ', કેવા અજબ રંગઢંગ છે" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ શાયર મરીઝના જીવન-કવનને જાણવા-માણવાનો વિશિષ્ટ ઉપક્રમ હતું.


આ પ્રવચનની વિડીયો લિંક ફેસબૂક પર મુકાઈ છે એટલે લગભગ એકાદ કલાકનું આખું પ્રવચન અને એ પછી થયેલ પ્રશ્નોત્તરીનું રેકૉર્ડિંગ જોઈ શકાશે, પણ પ્રવચનમાં સૌમ્ય જોશીએ મરીઝ વિશે કહેલો એક કિસ્સો વિશેષ સ્પર્શી ગયો. એક વખત મરીઝનો કોઈ ઉમદા શેર સાંભળીને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય એટલા બધા ખુશ થઈ ગયા અને કહ્યું કે, "મરીઝ, તમારા આ શેર પર તો મારું આગળનું જે જીવન છે એ તમને લાગી જાય એવી દુઆ કરું!"

મરીઝે પોતાની રમૂજશક્તિનો પરચો આપતાં કહ્યું, "પણ તમારું આગળનું જીવન કષ્ટદાયક હોય તો?" 😃

ખેર, આખું પ્રવચન આ લિંક પરથી સાંભળી શકાશે:



Saturday, June 11, 2022

શાસ્ત્રીય સંંગીતના રાગો ઓળખવામાં ક્યારેક થતી ભૂલો

 મને શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ છે અને ઘણા રાગો એવા છે જેના સૂરો કોઈ કલાકાર છેડવાની શરૂઆત કરે કે તરત એ રાગ ઓળખી જતો હોઉં છું અને ઘણાખરા રાગ વિશેનાં મારાં અનુમાન સાચાં પડતાં હોય છે.

છતાં, ક્યારેક અમુક રાગમાં એટલો ખોવાઈ ગયો હોઉં કે એ રાગ ગાયા પછી ગાયક બીજો જ રાગ તરત શરૂ કરી દે ત્યારે આ અચાનક થતા switch overને કારણે રાગ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. 2013માં મુંબઈમાં હૃદયેશ ફૅસ્ટિવલમાં હું ઉસ્તાદ અમજદ અલી ખાનનું સરોદવાદન સાંભળવા ગયો હતો ત્યારે આવું થયું હતું. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જાહેરાત કરી કે હું બૈરાગીનો આલાપ, જોડ અને ઝાલા વગાડીશ જ્યારે ગતમાં આહિર ભૈરવ વગાડીશ. ગત એ એવો ભાગ છે  જેમાં તબલાવાદક સાથે સંગત કરે છે, જ્યારે આલાપ, જોડ, ઝાલામાં તબલાં વાગતાં નથી. એમણે બૈરાગી વગાડ્યો, એ  રાગની અસરમાં મન એટલું  ડૂબી ગયું કે એના પછી આહિર ભૈરવ શરૂ કર્યો ત્યારે ધ્યાન જ  ન રહ્યું કે આ બીજો રાગ પણ એમણે રજૂ કર્યો હતો.

હમણાં વડોદરામાં 10 ઍપ્રિલ 2022ના રોજ પંડિત રાજન-સાજન મિશ્રાના શિષ્યો પ્રભાકર અને દિવાકર કશ્યપ ઉર્ફે કશ્યપ બંધુઓએ લગભગ ચાળીસ મિનિટ સુધી દેસી રાગ ગાયો અને ત્યારબાદ બિલકુલ વિરામ વિના બીજી જ ક્ષણે એમણે વૃંદાવની સારંગ રાગ પ્રસ્તુત કર્યો ત્યારે પણ  હું વૃંદાવની સારંગ રાગને ઓળખવામાં ગૂંચવાઈ ગયો હતો. 

 

Thursday, June 9, 2022

मन फूला फूला फिरे जगत में कैसा नाता रे

 कबीर भजन : मन वृथा ही जगत को अपना स्थायी घर समझने लगता है। मन गर्वित होता है जो महज़ मिथ्या है। माता, पिता, बहन, भाई, स्त्री का नाता बस दिखावटी है। एक रोज चार जने मिलकर काठ की घोड़ी को जला देंगे, जैसे होली का दहन कर दिया जाता है। कोई हिमायती काम नहीं आने वाला उस रोज। दो चार दिन का शोक मनाकर सभी इसी जगत में फिर भ्रमित हो जाएंगे, जबकि उनके सामने तेरा प्रत्यक्ष उदाहरण होगा। मन को सम्बोधित करते हुए कबीर साहेब की वाणी है की इस जगत से तेरा कैसा नाता है। यह भुलावा है, छल है। भाव है की यह जगत एक सराय की भाँती है, कुछ समय का ठिकाना है। हरी के नाम का सुमिरण ही जीवन का सदुपयोग है -सत श्री कबीर साहेब।




मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रे ॥
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

माता कहे यह पुत्र हमारा,
बहन कहे बीर (भाई ) मेरा,
भाई कहे यह भुजा हमारी,
नारी कहे नर मेरा,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

पेट पकड़ के माता रोवे,
बांह पकड़ के भाई,
लपट झपट के तिरिया रोवे,
हंस अकेला जाए,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

जब तक जीवे माता रोवे,
बहन रोवे दस मासा,
तेरह दिन तक तिरिया रोवे,
फेर करे घर वासा,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

चारगजी चरगजी बनाई,
चढ़्यो काठ की घोड़ी,
चारो कानी आग लगाई,
फूँक दियो ज्यों होरी,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

हाड जले जस लकड़ी रे,
केश जले जस घास,
सोना जैसी काया जल गई,
कोइ न आयो पास,
जगत में कैसा नाता रे,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

घर की तिरिया ढूंढन लागी,
ढुंडी फिरि चहु देशा,
कहत कबीर सुनो भई साधो,
छोड़ो जगत की आशा,
जगत में कैसा नाता रे ॥

मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रे,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

Sunday, June 5, 2022

પંડિત ભજન સોપોરી (1948-2022)

 3 જૂન 2022ના રોજ 73 વર્ષની ઉંમરે સંતૂરવાદક પંડિત ભજન સોપોરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કાશ્મીર ખીણના સોપોર વિસ્તારમાં પંડિતજીનો જન્મ થયો હતો, એના આધારે એમની સોપોરી અટક આવી.

આજથી લગભગ બારેક વર્ષ પહેલાં વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્ર વિભાગના ઑડિટોરિયમમાં પંડિતજીનો કાર્યક્રમ થયો હતો ત્યારે મેં એમાં હાજરી આપી હતી. એ કાર્યક્રમમાંં પંડિતજીએ કૌંસી કાનડા નામનો રાગ વગાડ્યો હતો અને તબલા પર દુર્જોય ભૌમિકે સંગત કરી હતી. પંડિતજીએ શ્રોતાઓને પણ  પોતાની સાથે ગાવામાં સામેલ કર્યા હતા.

કાર્યક્રમના અંતે શ્રોતાઓ સાથે સવાલ-જવાબનું સત્ર રખાયું હતું એમાં રિયાઝ કેવી રીતે કરવો જોઈએ એ વિશેના પ્રશ્નના જવાબમાં પંડિતજીએ કહ્યું હતું કે રિયાઝ માટે ત્રણ બાબતો જરૂરી છે: અગન, મગન અને લગન!

સંતૂરના તાર ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની તરકીબ માટે પંડિત ભજન સોપોરી જાણીતા હતા. આ બાબતે અસંમતિ વ્યક્ત કરતા પંડિત શિવકુમાર શર્માએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે સંતૂર પર ગાયકી અંગ દર્શાવવું હોય તો તે માત્ર સંતૂરની પોતાની પ્લેયિંગ ટૅકનિકથી જ કરવું જોઈએ. સંતૂરના તારને ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની જે ટૅકનિક છે એ સિતારની ટૅકનિકની નકલ હોવાનું પંડિત શિવકુમાર શર્માનું મંતવ્ય હતું.

આવી ટૅકનિકલ બાબતો માટે ટોચના કળાકારો વચ્ચે મતભેદો હોવા સામાન્ય ગણાય, પરંતુ પંડિત શિવકુમાર શર્મા અને પંડિત ભજન સોપોરી બંને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કરેલા પ્રદાન બદલ હંમેશાં યાદ રહેશે.


 


Saturday, June 4, 2022

બાહ્યજીવન સાથે અંતરમાં પણ ડોકિયું તો મારો! (ડૉ. સર્વેશ વોરા)

અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર. વોરા

અંધેરીના ભવન્સ કેમ્પસની હોસ્ટેલમાં રહેતા ત્યારે એક વાર કવિ નામવરે રાત્રે સાથે ફરતાં ફરતાં જ એમને પોતાની એક રચનાનો મુખડો સ્ફુરેલો:

''હિરના મન કે સાથ બડી મજબૂરી હૈ

ચેહરા ચેહરા ખોજ રહા કસ્તુરી હૈ !''

જોકે આ અંદર ઊતરવાનાં વલણની વાત કોઈ બધાંને કામ આવી જાય એવો કે માથું દૂખતું મટાડવાની તૈયાર પડીકી કે ગોળી જેવો નુસખો નથી. આપણે ત્યાં દુકાનમાં મળતાં મંગળસૂત્ર કે તાવિજ જેમ જીવનની તમામ બાબતો પર ભારે ઠાવકાં સૂત્રો ટકે શેર ભાજી જેમ ફેંકાતાં ફરતાં હોય છે.

હા, આવાં જીવનને પાયાની અસર કરતાં સૂત્રોનો મૂળ કર્તા ખૂબ ઉમદા હેતુથી પોતાની જાત અનુભૂતિથી પ્રેરાઈને જ કહેતો હોય અને જિન્દગીની સરાણે ચડે એટલે ચકમકના પત્થર જેમ ચમકીને, અંધારામાં અજવાળું કરે ! દાખલા તરીકે આપણામાંના મોટા ભાગનાને, આપણા માનવ સંબંધો બાબત ખૂબ ફરિયાદો હોય છે. બે સલાહો અપાતી હોયઃ પેલી વ્યક્તિની જગ્યાએ જાત ને મૂકી જુઓ, અને બીજી સલાહ: અન્યને બદલવા કરતાં જાતને બદલો.

આ બન્ને સલાહો છે તો સો ટચનાં સોના જેવી ! પણ મોટે ભાગે અન્યની જગ્યાએ જાતને મૂકવાનું શક્ય નથી હોતું. બધાંના રસ્તા સમાન્તર (પેરેલલ) હોય છે. એકને રસ્તે આવેલ ઝાડી ઝાંખરાં બીજાને રસ્તે ન આવે ! એક ગૃહસ્થ વ્યક્તિ, એક એકલા રહેનાર જણને, પરસ્પર પૂરા સમજી જ ન શકે !

અને બીજી સલાહ: જાતને બદલવાની! એક વાસણમાં અવારનવાર દૂધ મૂકો, ને દૂધ બગડી જાય ! તો ડાહ્યા માણસે જોવું જોઈએ કે વાસણની અંદરની સપાટી તો બરાબર સાફ કરી છે ને ? મોટે ભાગે આપણે જ્યારે અન્ય પાસે બદલવાની અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણા પોતાના માંહ્યલાની સફાઈની તપાસ કરતા નથી ! ઘણીય વાર આપણી પોતાની આંખોની મર્યાદા નડતી હોય ! પરિણામે જાતને બદલવાની શરૂઆત થતી જ નથી ! મને ખબર પડે કે અમુક વ્યક્તિ પાસેથી અમુંક અપેક્ષા રાખવાથી, નિરાશા મળતાં પીડા થાય છે ત્યારે મારે જાતને બદલવા પ્રયાસ કરવો જોઈએ.

આ રાતોરાત થતું નથી.

ઠેંસ લાગે, નિરાશા મળે, ભોઠા પડો ત્યારે ''કદાચ'' થાય છે. ''કદાચ'' એટલા માટે કે અહીં જ ''અંદર તપાસ''ની ચાવીરૂપ વાત છે. સદ્ભાગી લોકોને પોતાની પાસે જ રહેલી આ ચાવી મળી જાય છે.

કોઈ અનુભવી વડીલ કે સંતની વાત, કોઈ સુવિચાર, કોઈ અનુભવ મંડિત સૂત્ર વાંચ્યું કે સાંભળ્યું હોય, જેને થોડી અઘરી ભાષામાં ''સત્સંગ'' કે ''સ્વાધ્યાય'' કહીએ, એ આપણી ભોઠપ કે પીડાની ક્ષણે જ બરાબર ઝબકી ઊઠે છે, અને એ ક્ષણે મળતો ઉજાશ જ આપણું ''વલણ'' બદલવામાં મદદ કરે છે. હા, અહીં ફરી એક લાલબત્તી. આવું પણ દરેકની વાતમાં નથી બનતું. આ કોઈ તૈયાર નુસખો નથી.

જો તમને પીડાની ક્ષણે આવા કોઈ ચમકારાથી માંહ્યલાને ઉજાશ મળે તો સમજી લેજો કે ''અંદર'' ઉતરવાનું વલણ કેળવાઈ રહ્યું છે.

સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું? (ચંદ્રકાંત મહેતા, ગુફતેગો, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર, 1 જૂન 2022)

 સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું?

પ્રશ્નકર્તા: ગુલાબ હિંડોચા, માણાવડવાળા, તા. રાણાવાવ, જિ. પોરબંદર (સૌરાષ્ટ્ર)

જિંદગી પરિવર્તનથી બંધાએલી ઘટના છે. ધાર્યું થઈ પણ શકે અને ન પણ થાય. ધાર્યું થાય ત્યારે માણસ પ્રસન્ન રહે છે અને પોતાની આકાંક્ષા કે અપેક્ષાથી વિપરીત થાય ત્યારે એ હતાશ-નિરાશ, ઉદાસ કે રુદનકર્તા પણ થઈ જાય છે. દેવ હોય કે દાનવ આફતોનો સામનો દરેકે કરવો પડયો છે: સંજોગ એટલે પરિસ્થિતિ. સંજોગને દૈવયોગ તરીકે પણ ઘટાવવામાં આવે છે. આફત, આપત્તિ, વિપત્તિ વગેરે જીવનની અગ્નિ-કસોટીઓ છે, જે તમે ધારો તેમ નિવારી ન પણ શકો. એવી પરિસ્થિતિમાં હળવા રહેવા માટે આત્મવિશ્વાસ, આત્મબળ અને આધ્યાત્મિક મનોવૃત્તિ મદદરૂપ બને છે. 'વિપત પડે નવ વલખીઓ વલખે વિપત્ત ન જાય' એ મહાન સત્ય છે. જેમ આકાશમાં વાદળો વિખરાઈ જાય છે તેમ આફત પણ જતી રહેવાની જ છે, એવી આત્મશ્રદ્ધા માણસની હામને ટકાવી રાખે છે.

નરસિંહ મહેતાએ ઉચિત જ ગાયું છે કે 'સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીઆં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીઆં'. રામ હોય કે રાવણ, કૃષ્ણ હોય કે કંસ, રાજા હોય કે રંક સંજોગોનો શિકાર તેમણે થવું જ પડયું છે. પાંડવોએ પણ પારાવાર તકલીફોનો સામનો કરવો પડયો છે. જેમ માણસ સુખનું સ્વાગત કરે છે, તેમ દુઃખને પણ સહન કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. બદલાતી પરિસ્થિતિમાં જીવનમાં સાહસ અને શાન્તિની ભાવના સુરક્ષિત રાખવામાં જ સાર છે. અહીં માનનીય કવિ રાજેન્દ્ર શાહની 'આપણા દુઃખનું કેટલું જોર'ની ખુમારી ભરી કવિતા પ્રેરક બની શકે છે: ''ભાઈ રે, આપણા દુઃખનું કેેટલું જોર ? નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર''. કવિ માને છે કે

''નિબિડ રાતનાં કાજળ પાછળ

પ્રગટે અરુણ ભોર''

માણસને લાચાર કે ખાલી હૈયાવાળો ભગવાને બનાવ્યો જ નથી. રાજેન્દ્ર શાહ વિકટ પરિસ્થિતિમાં મનને હિંમતવાન રહેવાની સલાહ આપતા કહે છે -

''આપણે ના કંઈ રંક

ભર્યો ભર્યો માંહ્યલો

કોશ અપાર,

આવવા દો જેને આવવું હોય

આપણા મૂુલવશું નિરધાર

આભ ઝરે ભલે આગ,

હસી-હસી ફૂલ ઝરે

ગુલમ્હોર

ભાઈ રે ! આપણા દુઃખનું

કેટલું જોર.''

આકરા તાપમાં બીજાં બધાં ફૂલો કરમાઈ જાય છે પરંતુ ગુલમ્હોરનાં વૃક્ષનાં ફૂલો જેમ તડકો પડે તેમ વધુને વધુ ખીલતાં જાય છે. આ વાતમાં દુઃખમાં પ્રસન્ન કેમ રહેવું એનો સંદેશો વણી લેવામાં આવ્યો છે.

દુઃખો કદી બે-ચારની સંખ્યામાં ન પણ આવે, એ પછી આખું લશ્કર પણ આવી શકે. જલન માતરી 

કહે છે -

''દુઃખો આવ્યા છે હમણાં તો

ફક્ત બે-ચારની સંખ્યામાં

ભલા શી ખાતરી કે એ પછી

લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી

વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને

હવે શંકર નહીં આવે.''

ઘણી બધી વિપત્તિઓ આપણી તૃષ્ણાનું સંતાન હોય છે એ વાત ભગવાન બુદ્ધે સમજાવી છે. જેટલા અંશે તમે તૃષ્ણાઓ ઘટાડો તેટલા અંશે પ્રસન્ન રહેવાના દ્વાર ખુલતા જશે.

ભગવદ્ગીતાનો બીજો અધ્યાય સ્થિતપ્રજ્ઞાનાં જે લક્ષણો દર્શાવે છે તેમાં વિપરીત સંજોગોને હસતા મોંઢે સહેવાની વાત સુંદર રીતે સમાએલી છે. શ્લોક ૫૬નો સારાંશ એ છે કે દુઃખોની પ્રાપ્તિમાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે નિસ્પૃહ હોય છે અંતે જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે તે સ્થિતપ્રજ્ઞા એટલે સ્થિર બુદ્ધિનો છે. શ્લોક: ૬૪ મુજબ સ્વાધીન અંતઃકરણનો સાધક (માનવી) પોતાના વશમાં કરેલી ઈન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં મનુષ્યનાં સર્વ દુઃખોનાં અભાવ થઈ જાય છે.

માણસ દુઃખની પરિસ્થિતિમાં ખુશ કેમ રહેવું એનું ચિંતન કર્યા કરતા દુઃખની સ્થિતિની ચિંતા કરે છે પરિણામે એ વધુ દુઃખી થાય છે. માણસ સકારાત્મક વિચારણાને બદલે નકારાત્મક વિચારોમાં વ્યસ્ત રહે છે ત્યારે નકારાત્મક્તા તેનામાં નિરાશાના ઢગલા ખડકવા માંડે છે. 'હું દુઃખી નથી કે મને કોઈ દુઃખી કરી શકતું નથી,' એવી માનસિક સ્વસ્થતા જ મનને આનંદમાં રાખવાનું અમોધ ઔષધ છે.

આનંદમાં રહેવાની કે હસતા રહેવાની ઔષધિ બજારમાં વેચાતી મળતી નથી. એ ઔષધિ માણસે જાતે તૈયાર કરવી પડે છે. શ્રદ્ધાનું રસાયણ, આત્મબળ, આત્મવિશ્વાસ, પરમ શક્તિ પર ભરોસો, હિંમત અને આંતરિક મસ્તી અને જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ- આટલાં ઔષધો એકઠાં કરો એટલે જીવનમાં આનંદિત રહેવાનું મહાઔષધ તૈયાર.

દુઃખોને જીવનનો એક અનિવાર્ય હિસ્સો માનવાથી જીવન પ્રત્યેની શ્રદ્ધા ડગી જતી નથી. કબીરની વાત સાંભળો તેઓ કહે છે

''દેહ ધરે કા રોગ હૈ,

સબ કાહુ કો હોય,

જ્ઞાાની ભૂગતે જ્ઞાાન સે

મૂરખ ભુગતે રોય.''

દુઃખના સમયે આંસુ એ દુઃખનો વિદાય સમારંભ નથી, પણ વધુ દુઃખી થવાનું બહાનું છે. દુઃખને હરાવવાના ઉપાયો શોધવા એ જીવનમાં આનંદને આપવાનું 'ઈન્વીટેશન કાર્ડ' છે. દુઃખની પરિસ્થિતિને હસી કાઢવી અને એની શરણાગતિ ન સ્વીકારવી એનું નામ આત્મજ્ઞાાન પત્ની, પુત્ર-પુત્રી વગેરે સઘળું ગુમાવ્યા છતાં નરસિંહ મહેતા કહે છે

''બેટો, બેટી વળાવિયાં રે !

મેં તો વળાવી ઘર કેરી નાર રે

શામળા ગિરિધારી.''

આફતો માણસને એ સમજાવે છે કે તમે કાચી માટીના છો કે પાકી માટીના આનંદના મૂળમાં છે સંતોષ. દુઃખની ઘડીએ એવી ફરિયાદ ભગવાનને નકરાય કે તેં આટલું બધું દુઃખ આપ્યું ? એના બદલે એમ વિચારવું કે તેં આટલું જ આપ્યું તે બદલ આભાર. આનંદ પ્રાપ્તિ માટે પરિશ્રમ અને સંયમ મદદરૂપ આવતીકાલને વધુ સારી બનાવવા માટે જિંદગી એ દુઃખનું 'સેમ્પલ' મોકલ્યું છે એવું તમે તમારા મનને આશ્વાસન આપી શકો તો જ તમે હસતા રહી શકો. ઉપનિષદો આનંદને બ્રહ્મની પદવી આપે છે. આફત માણસને ઈન્સાન બનાવે છે અને વધુ પડતી દોલત દાનવતા માટેનો માર્ગ ખોલે છે. એટલે 'થોડામાં ઘણું' વાળી જીવન દ્રષ્ટિ જ સુખદાયક છે. આનંદ એ અત્તર છે, જે છાંટવાથી તમને જ નહીં તમારી આસપાસના લોકોને પણ સુગંધથી તરબતર રહેવાની તક મળે. માણસનું મન જ આનંદ નામના 'પ્રોડક્ટ'ની ફેકટરી છે એમ માનનાર આનંદના ઉત્પાદનની વૃદ્ધિની આકાંક્ષા રાખી શકે. દીવો જેમ ઘરને અજવાળાથી ઝગમગાવી દે છે તેમ માનસિક શાન્તિ, ઈશ્વર પર વિશ્વાસ અને સહનશીલતા જીવનની જડતાને દૂર કરી પ્રસન્નતા પ્રગટાવે છે. જિંદગીમાં ત્યાગ, સમર્પણ, નિસ્વાર્થ પ્રેમ અને સેવાભાવના વિકસિત કરશો તો દુઃખને વાગોળવાનો તમને સમય જ નહીં મળે. કર્મભૂમિમાં સંતોષનાં બી અને ધર્મન જપનું સિંચન કરો તો તેના ફળ રૂપે આનંદ મળશે. એક શેર મુજબ

''શમા ઔર પરવાને કી હાલત સે યહ જાહિર હુઆ

જિંદગી કા લુત્ફ (આનંદ) જલ-જલ કે મર જાને મેં હૈ''

Thursday, March 24, 2022

Family feud turns into cross-border musical war

Updated on: 10 January,2012 08:53 AM IST

Ustad Vilayat Khan's daughter Begum Yaman Khan slams Pakistani cousin Ustad Rais Khan for allegedly stealing a sitar technique invented by her late father

It's a battle between the Khans, and not the one you are thinking about. Sufi singer Begum Yaman Khan -- daughter of legendary sitar wizard (late) Ustad Vilayat Khan -- has accused her Pakistani cousin Ustad Rais Khan of being a fraud, who has stolen Gayaki Ang, a technique invented by her father. She has also demanded his Mumbai concert on January 20 be banned keeping in mind the alleged inflammatory remarks he made about India before leaving for Pakistan 20 years ago.

"Everybody knows that Gayaki Ang or the vocal style in sitar was invented by my father. Ustad Rais Khan was my father's student and learnt it from him. But the man has gone senile and claims it to be his own. He should be sent to a mental asylum," said Begum Yaman Khan in an exclusive interview with MiD DAY. "The man (Ustad Rais Khan) left India for Pakistan 20 years ago because he claimed this country was only for Hindus. He said inflammatory statements like, 'I spit on India'. How is such a person allowed to enter India let alone perform here (on January 2 in Delhi)?" she demanded.

Strings attached

The family feud took a turn for the worse when Ustad Rais Khan, during the performance in Delhi, declared Gayaki Ang to be his own creation. Begum Yaman, who was present at the concert, contested the claim.

Begum Yaman is the granddaughter of Ustad Inayat Khan and daughter of Ustad Vilayat Khan of the Imdadkhani (named after her great-grandfather Imdad Khan) or Etawah Gharana. Ustad Rais Khan who belongs to the Mewati Gharana is her first cousin (his mother was Ustad Vilayat Khan's elder sister). He lives in Pakistan with his fourth wife.

Supporting his sister's claim renowned sitar player Shujaat Khan said, "It is a very well-known fact that Ustad Rais Khan made derogatory and inciting remarks about India before deciding to take up Pakistani citizenship.

Back then prominent Indian musicians like Amjad Ali Khan Sahab, Asad Ali Khan Sahab and others held a press conference at India International Centre in Delhi condemning his statements."

Out of tune

Dr Mairajuddin Ahmed, former cabinet minister in Uttar Pradesh and present chairman of the Urdu Press Club International also supports the claim that Ustad Rais Khan indeed made such statements back then and shouldn't be allowed to perform in Mumbai on January 20. "What he said at the time was indeed inflammatory. Perhaps the external affairs ministry has records of the incident. And his claim about Gayaki Ang is just sad. He left for Pakistan seeking greener pastures. But we Indians have nurtured musicians better than Pakistan.u00a0 He always was under the shadow of his guru (Ustad Vilayat Khan) and that has left him frustrated."u00a0

Begum Yaman Khan claimed that Ustad Rais Khan pleaded with her to help him get back his Indian citizenship a few days ago. "He once challenged my father on stage and was naturally defeated. Eminent dancers like Sitara Devi were witness to this. But he thinks he can play truant now that Ustad Vilayat Khan Sahab is no more. He is a desh drohi (traitor) and an opportunist. Now he wants to come back to India. But he is someone who insulted this country and left for Pakistan."

The other side

However, the man himself, when contacted by MiD DAY, denied all the accusations against him. "This is all rubbish. I learnt it from my father (Ustad Mohammed Khan)," replied Ustad Rais Khan, when questioned about the claim of Gayaki Ang. On being probed about the alleged derogatory statement he made 20 years ago he said, "It's untrue. I was angry with some politicians at that time because my juniors were getting awards and credit for their music while I was being neglected. I was misinterpreted and misquoted."

He claimed he left for Pakistan in pursuit of love and to be with his fourth wife. "Begum Yaman is a woman of poor character and she was never accepted by her father. She is making useless accusations against me," he added. Despite the allegations Ustad Rais Khan maintains he will perform in Mumbai on January 20. "I don't care what they say. I will play what my father taught me," he said.